⭕ *કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી...*🔘 ⭕ *દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલ અર્પણ કરી સન્માન...*🔘 ⭕ *દિવ્યાંગ ચાર ભાઈઓ અને ચાર બહેનો અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર બની સ્વાવલંબી અને સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે...*🔘




( સુરત શહેર માનદ પ્રતિનિધી દ્વારા ખાસ બાતમી )

              [ લોકતક ન્યૂઝ નેટવર્ક ]

⭕ સુરત /  (લોકતક ન્યૂઝ વેબ પોર્ટલ પ્રતિનિધી ) તારીખ:-૦૭ જુલાઈ સોમવાર :- સુરત શહેર ખાતે પધારેલા ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરત ખાતે તારીખ ૦૬ જુલાઈ રવિવાર ના રોજ દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલની ભેટ આપી હતી. સુરતના આ દિવ્યાંગો ભરતકામ, બુક બાઈન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન, કંકોત્રી, કાર્ડ મેકિંગનું કામ કરી અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર બની સ્વાવલંબી અને સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે. આ દિવ્યાંગોમાં ચાર ભાઈઓ અને ચાર બહેનો છે, જેઓએ ઈ સાયકલની ભેટ મળવા બદલ આનંદિત થઈને મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 


     આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ, VNSGU મનેજમેન્ટ સમિતિના સભ્ય(મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ) અને મેડિકલ ફેકલ્ટી ડીન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ,નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા, T&TV નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી કિરણ દોમડિયા, નર્સિંગ એસો.ના સંજય પરમાર, બિપિન મેકવાન, વિરેન પટેલ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...           -૦૦૦-

==========================================

Post a Comment

0 Comments